
કસ્ટડીમાંથી છોડી મુકવા બાબત
(૧) મુચરકો કરી આપવામાં આવે કે તરત જ વ્યકિતની હાજરી માટે તે કરી આપવામાં આવેલ હોય તેને છોડી મુકવામાં આવશે અને તે જેલમાં હોય તો તેને જામીન ઉપર છોડનાર કોટૅ જેલના ઇન્ચાર્જ અધિકારીને તેને છોડી મુકવાનો હુકમ કરશે અને હુકમ મળે એટલે તે અધિકારી તેને છોડી મુકશે
(૨) આ કલમના કલમ ૪૩૬ના કે કલમ ૪૩૭ના કોઇ મજકુરથી જે બાબત સબંધમાં મુચરકો કરી આપેલ હોય તે સિવાયની કોઇ બાબત માટે અટકમાં રાખવાને પાત્ર કોઇ વ્યકિતને છોડી મુકવાનુ આવશ્યક ગણાશે નહી
Copyright©2023 - HelpLaw